ફક્ત 5 મિનિટમાં શરદી, તાવ અને કફ ગાયબ થઈ જશે, અપનાવો આ 100 ટકા આયુર્વેદિક ઘરઘથ્થુ ઉપચાર

આજે હું તમને ઘરેલું ઉપાય વિશે વાત કરીશ.  આ ઉપાય કફ અને તાવ માટે છે.  જે તમને તત્કાળ રાહત આપશે.  જો તમને શરદી અને કફ છે, તો આ ઉકાળો બનાવો અને તેને પીવો.

તેને બનાવવા માટે, તમે એક તપેલી લો. તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો. પછી તેમાં 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો  ઉમેરીશું અને તેમાં 4 થી 5 લવિંગ ઉમેરો.  લવિંગ પણ ખૂબ જ સારૂ છે, તે આપણી છાતીમાં એકઠા થતા કફને દૂર કરવામાં ઘણી મદદ કરે છે.  આ સાથે, આપણે અડધી ચમચી તજ પાવડર ઉમેરીશું અથવા જો તમે ઇચ્છો તો તજનો 2 થી 3 ઇંચનો ટુકડો ઉમેરી શકો છો.  તે કફ માટે ખૂબ સારું છે.

તેની સાથે અડધી ચમચી હળદર પાવડર નાખો.  એક ચમચી અજમો ઉમેરો.  8 થી 10 કાળા મરીના દાણાનો ભૂકો કરો અને ઉમેરો.  મરીના દાણા તમને ખૂબ મદદ કરશે. તે તમને ફ્લૂથી બચાવશે, કફ નઈ થવા દે અને ચેપ થવાથી બચાવશે.

આ ઉપરાંત, અડધો ચમચી સિંધાલૂણ ઉમેરો જે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપુર હોય છે. તેમાં થોડો ગોળ ઉમેરો, હવે તેમાં તુલસીનાં 8 થી 10 પાના ઉમેરો. તુલસીમાં ઘણા બધા ઔષધીય ગુણધર્મો હોય છે.

આપણે જે વસ્તુઓ ઉમેરી છે તે તમામ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અડધુ પાણી બાકી રહે ત્યાં સુધી તેને ઉકાળો. કોઈપણ વાસણમાં તેને કાઢો. દિવસમાં ત્રણ વખત તેને પીવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉકાળો શિયાળાની ઋતુમાં ખૂબ મદદ કરે છે.  તેને ગરમ કરો પછી પીવો.  તેને 3 ભાગમાં વહેંચો. સવારે, બપોરે અને સાંજે.  તેનો સ્વાદ ખૂબ જ સારો હોય છે કારણ કે તેમાં ગોળ અને સિંધાલૂણ હોય છે તેથી તમે તેને શાંતિથી પી શકો છો.  આ ઉકાળો તમારા તમામ કફને એક ચપટીમાં અદૃશ્ય કરી દેશે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!