જો તમે કોરના પોઝિટિવ હો તો આ ફૂડને ભોજનમાં સામેલ જરૂરથી કરજો, થશે અદભૂત ફાયદા

તમારા એન્ટીઓકિસડન્ટ સ્તરને વધારવા માટે તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. ડાયેટિશિયન મુજબ પ્રોટીનની માત્રામાં વધારો કરવો જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ડાયટ પ્લાન શેર કર્યો છે.

કોરોના ચેપમાં, સ્વાદ અને ગંધ અનુભવાતી નથી. ભૂખ પણ નથી લાગતી. ઘરમાં સાત્વિક અને પોષક આહાર કોરોનાને મારવામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કોરોના પોઝિટિવ મેનની ડાયેટ પ્લાન શેર કરી છે.

હોમમેઇડ ફૂડ.                                           વીડિયો શેર કરતાં ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ કેપ્શનમાં લખ્યું છે કે, “ઘરેલુ સારા ખોરાકથી તમારી જાતને સ્વસ્થ બનાવો.” ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ કોરોના-પોઝિટિવ દર્દીને આહારમાં શક્ય એટલું વધારે પ્રોટીન શામેલ કરવા વિનંતી કરી. કારણ કે પ્રોટીન એન્ટિબોડીઝ બનાવવામાં મદદ કરે છે.

એન્ટિબોડીઝ વાયરસ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  પ્રોટીનથી ભરપૂર આહાર માટે, તમે દાળ પરાઠા, મગના ઢોસા, ચિકન કટલેટ, ફિશ ફિંગર ખાઈ શકો છો.  આ પ્રકારના ખોરાકમાં પૂરતી માત્રામાં પ્રોટીન મળી શકે છે 

આ ખોરાક કોરોનાને મારવામાં કારગર છે.  ન્યુટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ જણાવ્યું હતું કે સપ્લીમેન્ટ  જરૂરી છે પરંતુ એન્ટીઓકિસડન્ટોનું સ્તર વધારવા માટે તાજા ફળો અને શાકભાજી લેવા ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના વીડિયો મુજબ તમે ઘરે કેરીનો કસ્ટર્ડ, તરબૂચનો સલાડ, શાકભાજીનો રસ, શાકભાજી રાયતા, કેળા, મગફળી ખાઈ શકો છો.  આહારને જુદા જુદા ભાગોમાં વહેંચવો જોઈએ જેથી તમે એક સાથે બધું ખાવાને બદલે થોડું થોડું ખાઓ જેથી પાચન પણ સરળ રહે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!