કોરોનાએ દેશભરમાં કેર વર્તાવ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. હોસ્પિટલોમાં ઓક્સિજન અને પથારીની તંગી છે. બનાસકાંઠા જિલ્લાના એક કેન્દ્રમાં દર્દીઓની આયુર્વેદિક દવાઓથી સારવાર કરવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે આ તમામ દવાઓ દેશી ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓની જેમને હળવા લક્ષણો હોય તેમની અહીં સારવાર કરવામાં આવે છે. આ કેન્દ્રનું નામ વેદલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ કેન્દ્ર રાખવામાં આવ્યું છે.
હાલ અહીં કુલ 7 કોરોના દર્દીઓની સારવાર ચાલું છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ થાય બાદ આ દર્દીઓ ને અહીં દાખલ કરવામાં આવ્યા છે.
આ કેન્દ્ર માં સારવાર 5 મેના રોજ શરૂ કરવામાં આવી હતી. ડીસા તાલુકાના આ ગામના 7 દર્દીઓ દાખલ થયા છે. અહીં કોરોના દર્દીઓની સારવાર જુદી જુદી કુલ 8 આયુર્વેદિક દવાઓથી કરવામાં આવે છે. આ દવાઓ દેશી ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે. ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે વધુમાં જણાવ્યું હતું કે પંચગવ્ય આયુર્વેદનો ઉપયોગ મુખ્યત્વે કોરોના વાયરસના લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે.
અમે ગૌ તીર્થનો ઉપયોગ કરીએ છીએ, જે મૂળ ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. અહીં ખાસીની સારવાર કરવામાં આવે છે અને અહીં આપણે ગૌમૂત્ર આધારિત દવાનો ઉપયોગ કરીએ છીએ.
તેમણે કહ્યું કે, અમારી પાસે રોગપ્રતિકારક બુસ્ટર ચ્યવનપ્રાશ છે, જે ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ કેન્દ્રમાં દર્દીઓની સારવાર માટે પૈસા લેવામાં આવતા નથી. અહીં 24 કલાક બે ડોકટરોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત આ કેન્દ્રમાં એમબીબીએસના ડોકટરોની સલાહ પણ લેવામાં આવે છે.
એલોપેથી દવાઓની જરૂરિયાતવાળા દર્દીઓને પણ તે જ દવાનો ડોઝ પણ આપવામાં આવે છે. આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે ગામોને સ્થાનિક કોવિડ કેર સેન્ટર બનાવવાની સલાહ આપી હતી. રાજ્યોમાં અત્યાર સુધીમાં 10,000 થી વધુ કોવિડ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં લગભગ 1 લાખ 20 હજાર પથારી છે.
આ ગૌશાળામાં તૈયાર થયેલા કોવિડ કેર સેન્ટરમાં 1 આયુર્વેદ અને 1 એલોપેથીક ડોક્ટર સાથે 5 નર્સ કોવિડ દર્દીઓની સારવાર કરશે.આખા કોવિડ કેર સેન્ટર ઠંડકના હેતુથી ઘાસથી વાવેતર કરવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં તાપમાન કુદરતી રહે.