ચોમાસામાં હરખપદુડા થઈને આ 5 વસ્તુઓ ના ખાતા, નહિ તો શરીરને થશે બહુ મોટું નુકસાન..

પરસેવા છોડાવતી ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો ચોમાસાની રાહ જોઈ ને બેઠા છે. પરંતુ આ ઋમાં આરોગ્યમાં થોડી બેદરકારી તમને વાયરલ બીમારીઓ, શરદી અને તાવ જેવા રોગોનો શિકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં, જાણો તંદુરસ્ત રહેવા અને ચોમાસાની મજા માણવા માટે વરસાદની ઋતુમાં તમારે શું ટાળવું જોઈએ.

વરસાદની ઋતુમાં આ 5 વસ્તુઓનું સેવન ન કરો-

તેલયુક્ત ખોરાક

વરસાદની મજા માણવા માટે, લોકો ઘણીવાર ઘરે ચા સાથે પકોડા, સમોસા ખાવાનું પસંદ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ મોસમમાં તૈલીય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ કરવાથી, વ્યક્તિના પાચનતંત્રમાં ખલેલ થવાનું શરૂ થાય છે.

પાંદડાવાળા શાકભાજી

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વરસાદની ૠતુમાં બેક્ટેરિયલ અને ફંગલ ચેપનું જોખમ વધે છે. આ સીઝનમાં, પાંદડાવાળા શાકભાજી પર જંતુઓ ઝડપથી વધે છે. જેના કારણે તમને અતિસાર, ડિહાઇડ્રેશન અને પેટની સમસ્યા થઈ શકે છે, તેથી જ તમને પાલક, મેથી, લીલા શાકભાજી, મશરૂમ્સ, બ્રોકોલી, અને કોબી જેવા શાકભાજીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

કાચું સલાડ

વરસાદની ઋતુમાં સલાડથી બચવું જોઈએ. સલાડ માટે વપરાયેલી કાચી શાકભાજી બેક્ટેરિયાથી ભરેલી હોય છે. આનથી તમને પેટને લગતી ઘણી સમસ્યાઓનું જોખમ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સી ફૂડ

વરસાદ દરમિયાન માછલી અથવા અન્ય કોઈપણ સી ફૂડને પણ ટાળવું જોઈએ. વરસાદની ઋતુ એ મોટાભાગના દરિયાઇ જીવો માટે સંવર્ધનની ઋતુ છે. આ સિવાય પાણી પણ ખૂબ પ્રદૂષિત થયેલું હોય છે. જેના કારણે માછલીઓ પર ગંદકી એકઠી થાય છે. આવી સ્થિતિમાં સી ફૂડનું સેવન અનેક રોગોને જન્મ આપે છે.

મશરૂમ

વરસાદની ઋતુમાં તમારે મશરૂમ ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તે ખાવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!