દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દૈનિક એક વાટકી દહીંનું સેવન કરે છે તો તેનું પાચન સારું થાય છે. ભારતમાં ખૂબ જુના કાળથી દહીંનું સેવન કરવામાં આવે છે.
દહીંની સૌથી મહત્વની બાબત એ છે કે તે સસ્તું તેમજ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. તે આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પેટ સંબંધિત રોગોથી પીડાતા લોકો માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
દહીંમાં કેલ્શિયમ, ઘણા બધા વિટામિન્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા શરીર માટે જરૂરી તત્વો હોય છે. જે આપણું આરોગ્ય સાચવવા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ દહીંના ફાયદાઓ વિશે.
પાચન તંત્ર: દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમે અપચો અને કબજિયાતથી પરેશાન છો, તો તમારે દહીંનું સેવન કરવું જોઈએ. દહીંને આહારમાં શામેલ કરવું જોઈએ અથવા દરરોજ એક વાટકી અલગથી ખાવું જોઈએ. આમ કરવાથી ક્યારેય પણ પેટની કોઈ સમસ્યા રહેશે નહીં.
વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે વજન ઘટાડવા માંગો છો તો દહીં તમારા માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કેલ્શિયમ કોર્ટિસોલની રચના અટકાવે છે જે વજન વધારવા માટે જવાબદાર પરિબળ તરીકે ઓળખાય છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો દહીંનું સેવન રોજ કરવું જોઈએ. વજન ઘટાડવા સાથે, તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તે ચયાપચયને મજબૂત કરે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે. તેથી, જે લોકો રોગોથી દૂર રહેવા માંગે છે તેમણે પણ દહીંનો રોજ ઉપયોગ કરવો જોઈએ.
સનબર્ન માટે દહીં: જો સનબર્નને કારણે ત્વચામાં ખંજવાળ આવે છે, તો દહીં કુદરતી રાહત આપનાર તરીકે કામ કરે છે. વધુ પડતા સૂર્યના સંપર્કમાં સનબર્ન અને બળતરા થઈ શકે છે. સોજાવાળા વિસ્તારમાં દહીં લગાવવાથી સોજો ઓછો થાય છે.
ખીલ અને વાળ ખરવા: ખીલથી છુટકારો મેળવવા માટે ત્વચા પર દહીં લગાવવું જોઈએ. દહીં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મોથી સમૃદ્ધ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં દહીં લગાવો અને તેને આખી રાત છોડી દો.
અને સવારે મો ધોઈ નાખો. થોડા દિવસોમાં તમને ફરક જોવા મળશે. દહીંમાં પ્રોટીન પણ વધારે હોય છે. જે વાળ ખરતા અટકાવે છે. તેનો કુદરતી ઉપાય તરીકે ઉપયોગ કરી શકાય છે.
દહીંમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે. જે મજબૂત વાળની વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાથે દહીંને થોડા સમય સુધી વાળમાં લગાવ્યા બાદ ધોવાથી પણ વાળમાં ચમક આવે છે.