દોસ્તો આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એવી ઘણી બધી ઔષધીઓ વિશે વાત કરવામાં આવી છે, જેનો આપણે ઘર બેઠા ઉપયોગ કરીને ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ.
તેની સારી વાત એ છે કે તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આ સાથે કેટલાક ઉપાય તો એવા હોય છે કે જેનાથી શરીર એકદમ મજબૂત બનાવી શકાય છે.
સામાન્ય રીતે ગોળનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં ગોળને અમૃત સમાન માનવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ દરરોજ ગોળનું સેવન કરે છે તે ઘણા રોગોથી છુટકારો મેળવી શકે છે.
આ સાથે તેમાં મળી આવતું કેલ્શિયમ શરીરને એકદમ મજબૂત બનાવી રાખે છે. તમે ધ્યાન આપ્યું હોય તો હાલના આધુનિક સમયમાં લોકો કોઈ પણ વાનગીમાં સ્વાદ વધારવા માટે ગોળને બદલે ખાંડનો ઉપયોગ કરતા થઈ ગયા છે.
જો કે તમારા ધ્યાનમાં રાખવું જોઈએ છે ખાંડ લાંબા સમયે હાનિકારક સાબિત થઈ શકે છે અને તેનાથી હાડકા પીગળવા લાગે છે પરંતુ જો તમે ગોળનું સેવન કરો છો તો તેનાથી તમને નુકસાન થવાને બદલે લાભ જ થાય છે.
ગોળમાં ગ્લુકોઝ, કેલ્શિયમ, સુક્રોઝ, ફોસ્ફરસ સહિત અન્ય ઘણાં પોષક તત્વ મળી આવે છે. જે આપણા શરીરને તંદુરસ્ત બનાવી રાખવા માટે કામ કરે છે. જો તમને પેટ સાથે જોડાયેલા રોગો જેમ કે ગેસ, અપચો, કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ગોળનું સેવન કરવાથી સમસ્યા દૂર થાય છે.
જે લોકો શિયાળામાં ગોળનું સેવન કરે છે તેમના માટે ગોળ અમૃત સમાન છે. કારણ કે ગોળમાં મળી આવતા પોષક તત્વો શરીરને અંદરથી ગરમી આપે છે, જેનાથી તમને ઠંડી સામે રાહત મળે છે.
આ સાથે તેના ઉપયોગથી આપણા પેટમાં જામી ગયેલી અશુદ્ધિઓ પણ બહાર નીકળી જાય છે. જેના લીધે ખીલ-ડાઘ થવાની સમસ્યા રહેતી નથી અને સ્કિન ચમકદાર બને છે. જો તમે દિવસ દરમિયાન થોડું કામ કરીને થાકી જાઓ છો અને તમને થાક, નબળાઇ, આળસનો સામનો કરવો પડે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા શરીરમાં ઉર્જા ની ઉણપ છે.
આવામાં જો તમે ગોળનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં દિવસ દરમિયાન ઊર્જા જળવાઈ રહે છે. આ સાથે તમે સક્રિય રીતે કામ કરી શકો છો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોળનું સેવન કરવાથી શારીરિક શક્તિ તો વધે જ છે સાથે સાથે માનસિક શક્તિમાં પણ વધારો થાય છે. જો તમને જલ્દી ભૂલી જવાની સમસ્યા રહેતી હોય તો તેનાથી પણ રાહત મળે છે. આ માટે તમારે રાતે સૂતી વખતે ગોળનું સેવન કરવું જોઈએ.