દોસ્તો કોઈપણ વ્યક્તિ માટે તેના દૈનિક કાર્યમાં ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે જો પૂરતી ઊંઘ ના લેવામાં આવે તો બીજા દિવસે આળસ, થાક, અશક્તિની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે ઊંઘની સાથે તમે કેવી ઊંઘ લો છો તે પણ ખૂબ જ જરૂરી છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આ સાથે કામના તણાવ અને ચિંતાને લીધે રાતે સરખી રીતે ઊંઘી શકતો નથી. જેના લીધે તેને બીજા દિવસે કામ કરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી સ્થિતિમાં કેટલાક કાર્યો એવા છે કે જેને રાતે સૂતા પહેલાં ક્યારેય કરવા જોઈએ નહીં.
જો તમે આ કામ કરો છો તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે અને તમે સરખી રીતે ઊંઘ ના લેવાને લીધે અનેક બિમારીઓનો શિકાર બની જાવ છો. તો ચાલો આપણે જાણીએ કે આપણે કયા કામ ના કરવા જોઈએ.
જો તમે રાતે શાંતિપૂર્વક ઊંઘ લેવા માંગો છો તો તમારે રાતે સૂતા પહેલા કોઈ દિવસ જંકફુડ કે બહારના ભોજનનું સેવક કરવું જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારી ઊંઘમાં અશાંતિ ફેલાવવા લાગે છે અને તમે સરખી રીતે ઊંઘ લઇ શકતા નથી.
આ સાથે તમારે ઊંઘતા પહેલા અથવા તો રાત્રિભોજન માં ડુંગળી અથવા લસણ ખાવા જોઈએ નહીં. તેનાથી તમારા તણાવમાં વધારો થાય છે અને તમે માનસિક રીતે શાંતિ મેળવી શકતા નથી.
જો તમે રાતે મોડા સુધી ટીવી અથવા મોબાઈલ સ્કિન પર સમય પસાર કરો છો તો તેનાથી તમારી આંખો તો ખરાબ થાય છે સાથે સાથે ઊંઘમાં પણ તકલીફ પેદા થાય છે. તેથી તમારે શક્ય હોય તો ઊંઘવાના બે કલાક પહેલા જ મોબાઈલથી અંતર બનાવી લેવું જોઈએ.
આ સિવાય સૂતા પેહલા હાથ અને પગ સાબુથી સાફ કરવા જોઈએ, જેથી બેકટેરિયા ને આસાનીથી દૂર કરી શકાય. તમારે રાતે સૂતા પહેલાં ભૂત પિશાચ ની વાતો કરવી જોઈએ નહીં. કારણ કે તેનાથી તમારું માનસિક સ્વાસ્થય કથરી શકે છે અને તમે શાંતિની ઊંઘી શકતા નથી.
આ સાથે તેના વિચારો પણ આવતા રહે છે. તમારે રાતે કોઈ વ્યક્તિ વિરુદ્ધની વાતો, તેની ઈર્ષ્યા, ઝંખના જેવી વાતો કરવી જોઈએ નહીં. તમારે હંમેશા બધા જ લોકોનું ભલું ઇચ્છવું જોઈએ અને સારી વાતો કરવી જોઈએ. આ સાથે છેલ્લે ભગવાન નું નામ લઈને ઊંઘી જવું જોઈએ.
જો તમે ઉપરોક્ત જણાવેલ બધી જ વાતોનું પાલન કરશો તો તેની સીધી અસર તમારા જીવન પર થશે અને તમે સકારાત્મક અસર મેળવી શકશો.