દોસ્તો આજની દોડધામભરી જિંદગીમાં લોકો અનેક બિમારીઓનો શિકાર બની ગયા છે. તેની પાછળનું કારણ બેઠાળુ જીવન અને ખોટી જીવનશૈલી જવાબદાર છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા રોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો કોઈ ઈલાજ નથી અને તેનાથી દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે.
તમને જણાવી દઈએ કે અમે જે રોગ વિશે વાત કરી રહ્યા છીએ, તે કેન્સરનો રોગ છે. કેન્સર એક એવી બીમારી છે, જેનો કોઈ ઈલાજ નથી અને તેને ઘાતક રોગ માનવામાં આવે છે.
જોકે કેન્સર નો રોગ થવા પાછળનું કારણ પણ તેના લક્ષણોની જાણ મોડા થવી છે. તેનાથી વિપરીત જો તમે કેન્સરના લક્ષણોને સમયસર તપાસી લેશો તો તમને આ રોગ પોતાનો શિકાર બનાવી શકશે નહી. તો ચાલો આપણે જાણીએ કે આ સંકેતો કયા કયા છે.
દોસ્તો જ્યારે તમે દોડીને આવો છો અથવા તો કસરત કરો છો યો શ્વાસ લેવામાં તકલીફ થવી એકદમ સામાન્ય છે પંરતુ જો તમને કોઈ કામ કર્યા વગર અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તમારે તેના વિશે તરત જ ડોકટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ.
કારણ કે શ્વાસ લેવામાં તકલીફ થવી પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો તમને અચાનક દરરોજની જરૂરિયાત કરતા ઓછાં ભોજનની જરૂર પડે છે અને તમને ખાવાનું ભાવતું નથી તો યે પાચન શકિત સંબધિત સમસ્યા હોય છે પંરતુ જો તમને ઘણા દિવસ સુધી આ સમસ્યા રહે છે તો,
તમારે તેના વિશે ડોકટરને વાત કરવી જોઈએ. કારણ કે ભોજન લેવામાં ઘટાડો થવો પણ પેટના કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો તમે પેશાબ કરતી વખત અથવા થૂંકતી વખતે લોહી આવવાની સમસ્યાનો સામનો કરો છો તો તેની ક્યારેય અવગણના કરવી જોઈએ નહી.
કારણ કે આ કેન્સરનો શરૂઆતી સંકેત છે. જો તેનું સમયસર નિરાકરણ કરવામાં આવે તો તમે આ તેનો કાયમી ઇલાજ કરી શકો છો.
જો તમારા શરીરને કોઈ અંગ પર કોઇ ઈજા થઈ છે અને તે જલદી થી મટતી નથી તો તમારે તેને પણ કેન્સરના સંકેત તરીકે ગણવું જોઈએ. જોકે યાદ રાખો કે ડાયાબિટસ થાય ત્યારે પણ ઘામાં જલ્દી રૂઝ આવતી નથી.
સામાન્ય રીતે શરદી અમે ઉધરસ ને વાયરલ બીમારીઓ ગણવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે પંરતુ જો તમે ઘણી દવા કરવા છતાં પણ તેનાથી છુટકારો મેળવી શકતા નથી તો તમારે તેને કેન્સરના સંકેત તરીકે ગણીને જરૂરી તપાસ કરવી જોઈએ. જેથી સમયસર બીમારીનો ઈલાજ કરી શકાય.