શરીરના કોઈપણ અંગ પર સોજો આવી ગયો હોય તો ફોલો કરો આ ટિપ્સ, ચપટી વગાડતાં ઓછી થઈ જશે સોજાની સમસ્યા.

દોસ્તો જ્યારે શરીરના કોઈપણ ભાગમાં સોજો આવે છે, તો શરીરનો તે ભાગ થોડો જાડો થઈ જાય છે. વળી સોજા યુક્ત અંગ પર બળતરાને કારણે દુખાવો પણ થાય છે. તમને જણાવી દઈએ કે સોજોની સમસ્યા ઈજાને કારણે અથવા તો ક્યારેક ખાવાની ખોટી આદતોને કારણે થઈ શકે છે.

આવામાં જો તમે પણ સોજાની સમસ્યાથી પ્રભાવિત છો તો તમારે ચોક્કસ પ્રકારના ખોરાકથી અંતર બનાવી રાખવું જોઈએ. કારણ કે જો તમે આ બધી વસ્તુઓ ખાવ છો તો તમારી સમસ્યા વધવા લાગે છે અને આરામ મળતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ કઈ છે.

જો શરીરમાં સોજો આવે છે તો તમારે સોડા, સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ અને ખાંડમાંથી બનેલા અન્ય પદાર્થો જેમ કે ચા, શરબત વગેરેનું સેવન ન કરવું જોઈએ.

આ સાથે તળેલી વસ્તુઓ જેવી કે પૂરી, પરાઠા, પકોડી, વેફર, ફ્રાઈસ વગેરેના સેવનથી પણ બળતરા વધી શકે છે. તેથી તળેલી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઈએ. વળી ફાસ્ટ ફૂડ અથવા જંક ફૂડ જેમ કે બર્ગર, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, વ્હાઈટ બ્રેડ, પેટીસ વગેરે પણ બળતરામાં નુકસાનકારક હોઈ શકે છે. કારણ કે તેમાં પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીર માટે હાનિકારક છે. હવે ચાલો આપણે સોજો ઓછો કરવાના ઘરેલૂ ઉપાય વિશે જાણીએ.

આ માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર અને થોડી સાકર નાખીને પીવાથી સોજો ઓછો થઈ શકે છે. જો તમે ઈચ્છો તો એક ચતુર્થાંશ ચમચી હળદરને પાણી સાથે પણ લઈ શકો છો, તેનાથી પણ સોજામાં આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને તમે સોજાવાળી જગ્યાને કપડા વડે દબાવી પણ શકો છો. આમ કરવાથી પણ સોજોમાં આરામ મળે છે. કેળા અને ખજૂરનું સેવન પણ સોજો ઘટાડવામાં ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય અનાનસનો રસ પણ સોજો ઘટાડવામાં મદદરૂપ છે.

મધ સાથે ગ્રીન ટી પીવાથી પણ સોજોમા રાહત મળે છે. આ સાથે જ 30 મિલી નારિયેળ તેલમાં 5 થી 6 ટીપાં દ્રાક્ષના મિક્સ કરીને સોજા પર થોડીવાર માલિશ કરવાથી પણ ફાયદો થાય છે.

આ સાથે તમારે જાણવું જોઈએ કે વિટામિન A, C, E અને મેગ્નેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, ઝિંક જેવા ખનિજોથી ભરપૂર ખોરાકનું સેવન પણ શરીરના સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!