દોસ્તો નિયમિત રીતે કઠોળ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. તેમાં પણ જો કઠોળને તમે ફણગાવીને તેનો ઉપયોગ કરવો તો તેનો લાભ બમણો થઈ જાય છે.
કઠોળને જ્યારે પણ ખાવામાં આવે છે ત્યારે તેના પૌષ્ટિક તત્વો માં બમણો વધારો થઈ જાય છે. બધાં જ કઠોળ માં સૌથી વધારે લાભ ફણગાવેલા મગ આપે છે.
પણ ખાવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જાય છે. જો તમે નિયમિત રીતે ફણગાવેલા મગ નું સેવન કરો તો શરીરનો ઈમ્યુનિટી પાવર કુદરતી રીતે વધી જાય છે.
ફણગાવેલા મગમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પણ હોય છે જે શરીરની પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાત માંથી મુક્તિ અપાવે છે.
ફાઈબર ઉપરાંત ફણગાવેલા મગમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, વિટામિન-સી, પોટેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન અઢલક પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને કબજિયાત જેવી બીમારીઓ માંથી કાયમી મુક્તિ મળી જાય છે.
જ્યારે ફણગાવેલા મગ નિયમિત રીતે ખાવામાં આવે છે તો બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમાં હાલ નું પ્રમાણ પણ ખૂબ વધારે હોવાથી ત્વચા પણ હેલ્ધી રહે છે અને શરીરમાં લોહીની ઉણપ પણ રહેતી નથી.
ફણગાવેલા મગ ખાવાથી એસીડીટી ની સમસ્યામાંથી કાયમી રાહત મળે છે. તેમાં એલકાઈન તત્વ હોય છે જે શરીરમાં એસિડ ઓછું કરે છે. ફણગાવેલા મગ ખાવાથી શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે. તેનું સેવન કરવાથી આંખનું તેજ પણ વધે છે અને આંખની બિમારીઓ થતી નથી.
ફણગાવેલા મગમાં પેપિસાઇડ નામનું તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે તેથી બ્લડપ્રેશરના દર્દીઓએ પણ નિયમિત રીતે ફણગાવેલા મગ ખાવા જ જોઈએ.
ફણગાવેલા મગ સવારે નાસ્તામાં ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને નબળાઈ દૂર થાય છે. ફણગાવેલા મગ કેન્સર જેવા ગંભીર રોગોથી પણ રાહત આપે છે.
મગની જ્યારે ફણગાવવામાં આવે છે તો તેમાં ફાઇબરનું પ્રમાણ વધી જાય છે તેથી સવારે નાસ્તામાં તેનું સેવન કરશો તો દિવસ દરમ્યાન તમને ભૂખ ઓછી લાગશે અને શરીરમાં કેલેરી પણ ઓછા પ્રમાણમાં જશે. પરિણામે તમારું વજન ઝડપથી ઘટશે.
ફણગાવેલા મગમાં પ્રોટીન પણ બહોળા પ્રમાણમાં હોય છે જે શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે આ ઉપરાંત તેનું સેવન કરવાથી ખરતા વાળ અને ત્વચાની સમસ્યા પણ દૂર થાય છે.
ફણગાવેલા મગ નું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે.