કબજિયાતની તકલીફ દરેક રોગનું મૂળ હોય છે. જ્યારે શરીરમાં કબજિયાત રહેતી હોય ત્યારે કોઈને કોઈ રોગ થતો રહે છે. તેનું કારણ છે કે કબજિયાતમાં આંતરડામાં મળ જામી જાય છે જેના કારણે શરીરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આંતરડાની સફાઈ ન થાય ત્યાં સુધી પેટ સાફ આવતું નથી અને દિવસમાં શરીરમાં સ્ફૂર્તિ પણ રહેતી નથી.
કબજિયાતની તકલીફ હોય તો સવારે પેટ પણ સાફ આવતું નથી અને પેટમાં દુખાવો, પેટ ફુલી જવું, એસીડીટી, અપચો જેવી તકલીફો પણ રહે છે. ત્યારે આજે તમને આ બધી જ સમસ્યાનું મૂળ એટલે કે કબજિયાતને દૂર કરવાનો એક અકસીર ઇલાજ જણાવીએ.
આ ઈલાજ કરવાથી નિયમિત રીતે પેટ સાફ આવી જશે અને વર્ષોથી આંતરડામાં જામેલો મળે પણ છૂટો પડીને શરીરમાંથી નીકળી જશે. તેના કારણે આંતરડા સાફ થઈ જશે. આ ઉપાય કરવામાં એકદમ સરળ છે પરંતુ તેની અસર જોરદાર થાય છે.
આ ઉપાય કરવાથી માત્ર કબજીયાત જ નહીં પરંતુ તેને સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી રોજ સવારે પેટ પણ સારી રીતે સાફ આવી જાય છે.
તો જો તમને પણ સવારે પેટ સાફ આવતું ન હોય, કબજિયાતના કારણે ઉપરોક્ત સમસ્યાઓ જણાતી હોય તો આજથી જ આ ઉપાય શરૂ કરી દો. આ ઉપાય કરશો એટલે કબજિયાતથી તમને કાયમી મુક્તિ મળી જશે.
આ ઉપાય કરવાની સાથે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે જમ્યા પછી ક્યારેય સુઈ જવું નહીં. શક્ય હોય તો થોડા ડગલાં ચાલી લેવું.
જમીને તુરંત સૂઈ જવાથી કબજિયાત થાય છે. પરંતુ જો જમ્યા પછી તમે થોડું ચાલી લ્યો છો તો પાચનક્રિયા સારી રીતે થાય છે અને કબજીયાત થતી નથી.
આ ઉપાય કરવા માટે તમને એરંડાના તેલની જરૂર પડશે. એરંડા નું તેલ રેચક ગુણધર્મ ધરાવે છે. તેનું સેવન કરવાથી કબજિયાત તુરંત જ દૂર થાય છે. એરંડા નું તેલ આંતરડાને એકદમ સાફ કરી નાખે છે. આ ઉપાય કરવાથી વર્ષો જુની કબજિયાતથી પણ મુક્તિ મળી જાય છે.
તો ચાલો તમને જણાવીએ કબજિયાતથી મુક્તિ મેળવવાનો એરંડાના તેલનો ઉપાય કેવી રીતે કરવો. આ ઉપાય કરવાથી એસિડિટી અને પાચન સંબંધિત દરેક સમસ્યાથી મુક્તિ મળી જશે. તેને કરવાથી ભોજન પ્રત્યે થયેલી અરુચિ પણ દૂર થાય છે.
આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં એક ગ્લાસ દૂધ ગરમ કરવું. દૂધ ઉકડી જાય પછી તેને ગાળી લેવું અને તેમાં બે ચમચી એરંડાનું તેલ ઉમેરી દેવું. હવે આ દૂધ હૂંફાળું ગરમ હોય ત્યારે તેને પી જવું.
આ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે અને સૌથી મહત્વનું છે કે સવારે તમારું પેટ પણ સાફ આવી જશે. રાત્રે તેને પીવાથી આંતરડાનો જામેલો મળ પણ છૂટો પડી જાય છે.