આ તેલથી 5 જ મિનિટમાં આંતરડામાં જામેલો કચરો સાફ થઈ કબજિયાત મટી જશે

દોડધામના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. તેના કારણે કેટલીક સમસ્યા સરળતાથી શરીરમાં ઘર કરી જાય છે. જેમ કે પેટ બરાબર સાફ ન થવું એટલે કે કબજિયાત. કબજિયાતની સમસ્યા હોય તો સવારે પેટ સાફ આવતું નથી અને પછી આખો દિવસ બેચેની રહે છે.

જો લાંબા સમય સુધી કબજિયાતનો ઈલાજ કરવામાં ન આવે તો તેનાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. તેનાથી શરીર રોગનું ઘર બની જાય છે. તેથી કબજિયાતને સમયસર દુર કરવી જરૂરી છે. કબજિયાતને દુર કરવા માટે આ ઘરેલું ઈલાજ કરી શકાય છે.

જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે એક ગ્લાસ પાણી ગરમ કરવું અને તેમાં અડધી ચમચી એરંડીયું ઉમેરવું. ત્યારબાદ આ પાણી પી જવું. એરંડીયું પીવાથી પેટ એકદમ સાફ આવી જાય છે.

જે લોકોને વર્ષોથી કબજિયાત હોય તેમણે આ ઉપાય રાત્રે સુતી વખતે કરવો જેથી સવારે પેટ સાફ આવી જાય. આ ઉપાય સવારે પણ કરી શકાય છે.

આ પાણી પીધાની થોડી જ મિનિટોમાં પ્રેશર આવી જશે અને પેટ સાફ આવશે. સાથે જ બધો જ મળ બહાર નીકળી જશે. આ ઉપાય કરવાથી પેટ એકદમ સાફ આવી જાય છે. જરૂરી છે આ ઉપાયને સમજીને કરવો. તેને સમયાંતરે કરવાથી કબજિયાત રહેતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને કબજિયાત ન રહેતી હોય તે પણ આ ઉપાય સપ્તાહમાં એકવાર કરી શકે છે. તેનાથી જે થોડો ઘણો મળ આંતરડામાં અટકી ગયો હશે તે પણ દુર થઈ જશે.

આ ઉપાય એક અઠવાડીયું નિયમિત કરવાથી સતત રહેતી કબજિયાત પણ દુર થઈ જાય છે અને પેટ સાફ આવે છે. જેમને સવારે પેટ સાફ આવતું ન હોય તે પણ આ ઉપાય સવારે કરે તો પેટ સાફ આવી જાય છે.

આ ઉપાય કરવાથી કબજિયાતથી કામયી મુક્તિ મળી જાય છે. આ ઉપાય પેટની દરેક બીમારીને પણ દુર કરે છે. કારણ કે પેટ અને શરીરની દરેક બીમારી શરુ થવાનું મુખ્ય કારણ કબજિતાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાતથી જ બધા રોગની શરુઆત થાય છે. તેથી કબજિયાત રહેતી હોય તો આ ઉપાય કરી લેવો. તેનાથી તમને તુરંત રાહત મળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!