જુવાર સૌથી શક્તિશાળી અનાજ છે. તેમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ જેવા પોષકતત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં કેલેરી ઓછી હોય છે. જુવાર સૌથી શક્તિશાળી અનાદ છે.
તેનાથી કફ, પિત્ત દુર થાય છે. તેનાથી થાક દુર થાય છે. સાથે જ તેનાથી વીર્ય પણ વધે છે. તેનાથી લોહીમાં ભળેલું પિત્ત પણ દુર થાય છે. તેનાથી રક્ત શુદ્ધ થવા સહિતના અનેક લાભ થાય છે.
જુવારનો ઉપયોગ રોટલો બનાવવા, રોટલી બનાવવા માટે પણ થાય છે. જુવારનો ઉપયોગ શરીર માટે લાભકારી છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ખનીજ તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. જુવારમાં સૌથી વધારે વિટામીન અને મિનરલ્સ હોય છે.
જુવારની તાસીર ઠંડી હોય છે. તેનું સેવન કરવાથી પિત્તનો નાશ થાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. જે લોકોએ વજન ઘટાડવું હોય તેમણે જુવારનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી પાચન સુધરે છે. અને શરીરમાંથી નકામા પદાર્થ દુર થાય છે.
ઘણા લોકોને વાતાવરણમાં ફેરફાર થવાના કારણે શરદી, ઉધરસ થઈ જતા હોય છે. તેવામાં જુવારને શેકીને ખાવાથી ઉધરસમાં લાભ થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાત, એસિડીટી અને પાચન સંબંધિત અન્ય રોગ દુર થાય છે. જુવારમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે.
દાંતમાં સમસ્યા હોય, પેઢા સડી ગયા હોય, પેઢામાંથી લોહી નીકળતું હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જુવારના દાણાને બાળી અને તેની રાખથી દાંત સાફ કરવા. તેના ઉપયોગથી ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા પણ દુર થાય છે.
જુવારનું સેવન કરવાથી શ્વાસ ચઢવો, શ્વાસનળીમાં સોજાની સમસ્યા દુર થાય છે. આ સમસ્યામાં જુવારનો ઉકાળો બનાવીને રોજ પીવો જોઈએ. તેનાથી કિડનીના રોગ પણ મટે છે.
જુવારના દાણાને ઉકાળી તેનો રસ કાઢી અને એરંડાના તેલમાં મિક્સ કરી તેને લગાડવાથી સાંધાના દુખાવા મટે છે. જુવારના લીલા પાનને પીસી અને શરીર પર લગાડવાથી ત્વચાના રોગ મટે છે.
ગરમીના કારણે શરીરમાં થતી બળતરા દુર કરવા માટે જુવારના લોટને પાણીમાં ઉમેરી પેસ્ટ તૈયાર કરી તેનો લેપ શરીરે કરવો. તેનાથી બળતરા દુર થાય છે. શેકેલી જુવાર અને પતાશા સાથે ખાવાથી પેટની બળતરા અને વધારે પડતી તરસ શાંત થાય છે.
બાવાસીર, હરસ, મસાની તકલીફ હોય ત્યારે જુવારનું સેવન કરવાથી લાભ થાય છે. જુવારનો લોટ પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીર બળવાન થાય છે.
લકવાની તકલીફમાં જુવારના દાણાને ઉકાળી તેનો રસ કાઢી એરંડાના તેલમાં મિક્સ કરીને તેનો લેપ લકવાગ્રસ્ત અંગ પર કરવાથી લાભ થાય છે.