લીમડો એક એવું ઝાડ છે જેની દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનો ઉપયોગ વર્ષોથી ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેમાં પણ લીમડાના પાન તો ચમત્કારી ગુણ ધરાવે છે. તેનો સ્વાદ કડવો હોય છે પરંતુ તે શરીરને કેન્સર જેવી બીમારીથી બચાવે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો રોજ સારે ખાલી 5 પાન તમે નરણાકોઠે ખાઈ લેશો તો આજીવન તમે ગંભીર બીમારીઓનો ભોગ નહીં બનો. આ સિવાય પણ લીમડાના પાન ખાવાથી અન્ય લાભ થાય છે. ચાલો તમને જણાવીએ તેના વિશે વિગતવાર.
રોગપ્રતિકારક શક્તિ વધે છે – જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમના માટે આ પાન વરદાન છે. ખાસ કરીને કોરોના જેવી સ્થિતિમાં આ પાનનું સેવન કરવાથી મોંઘી દવા લેવાની જરૂર પડશે નહીં અને રોગપ્રતિકારક શક્તિ વધશે. તેના માટે સવારે કુણા લીમડાના પાન તોડી અને ચાવીને ખાઈ જવા.
રક્ત શુદ્ધ થાય છે – રોજ સવારે ખાલી પેટ લીમડાના પાન ખાવાથી રક્ત શુદ્ધ થાય છે અને રક્તના વિકાર મટે છે. લીમડાના પાન સારી રીતે ચાવીને ખાવાથી શરીર ટોક્સીન ફ્રી થાય છે.
ત્વચા પર આવે છે નિખાર – લીમડાના પાન ખાવાથી સ્વાસ્થ્ય જ નહીં ત્વચા પણ સુધરે છે. તેનું સેવન કરવાથી સ્કીનમાં નિખાર અને ચમક આવે છે.
લીમડાના પાન રોજ ખાવાથી ત્વચાની ગુણવત્તા સુધરે છે. તેનાથી ત્વચાની સમસ્યા દુર થાય છે અને રંગ સાફ થાય છે. નિયમિત તેનું સેવન કરવાથી ખીલ, ડાઘથી પણ મુક્તિ મળે છે.
કેન્સર – કેન્સર જેવી બીમારીથી બચાવ માટે પણ આ પાન ઉપયોગી છે. કેન્સરના કારણે દુનિયમાં લાખો લોકો વર્ષે મૃત્યુ પામે છે. કેન્સર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. તેવામાં આ જોખમને લીમડાના પાનથી ટાળી શકાય છે.
લીમડાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના માટે રોજ લીમડાના પાન સવારે ખાલી પેટ ચાવીને ખાઈ જવા.
ડાયાબીટીસ – ડાયાબીટીસના દર્દી માટે તો આ પાન સૌથી વધુ અસરકારક ઔષધી છે. તેને સવારે ખાલી પેટ ખાવાથી શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.
જે લોકોને પહેલાથી જ ડાયાબીટીસ હોય તેમણે નિયમિત આ પાન ખાવા તેનાથી શુગર કંટ્રોલમાં રહેશે અને ડાયાબીટીસના કારણે થનાર સ્વાસ્થ્ય સમસ્યાથી બચી જશો.
આ રીતે રોજ સવારે 5થી 6 લીમડાના તાજા તોડેલા પાન ચાવીને ખાવાથી શરીર અંદરથી ડીટોક્સ થાય છે અને શરીર રોગમુક્ત રહે છે.