દોસ્તો બજારમાં હવે તો બારેમાસ અલગ અલગ પ્રકારના શાકભાજી જોવા મળે છે. પરંતુ તેમાંથી ઘણા બધા શાકનો ઉપયોગ ઘરમાં થતો નથી. શાકભાજી શરીર ની તંદુરસ્તી માટે સારું છે. શાકભાજી થી બધા જ પ્રકારના વિટામીન મળે છે.
બજારમાં મળતાં કેટલાક શાક એવા હોય છે જેના લાભથી આપણે અજાણ હોય અને તેના કારણે તેનો ઉપયોગ કરતાં નથી. પરંતુ કેટલાક શાક એવા હોય છે જેનો સ્વાદ ભલે એટલો સારો ન હોય પરંતુ તેના ગુણ ઔષધી સમાન હોય છે.
આવું જ એક શાક છે પરવળ. પરવળ નો ઉપયોગ ખૂબ ઓછા લોકો કરે છે. તેવામાં આજે તમને પરવળથી થતા લાભ વિશે જાણકારી આપીએ. પરવળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી શાક છે. આ શાક શરીરની અનેક બીમારીઓને દૂર કરે છે. ચાલો જાણીએ પરવળ કઈ કઈ સમસ્યામાં લાભ કરે છે.
જે લોકોને ડાયાબિટીસ હોય અને વર્ષોથી દવાઓ લેતા હોય તેમણે પરવળનું શાક ખાવાનું શરુ કરવું જોઈએ. તેમાં રહેલા ગુણો શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં કરે છે. ડાયાબિટીસમાં પરવળ ગુણકારી છે તે અંગેનું પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો.
આ પ્રયોગમાં 28 દિવસ સુધી જે ઉંદરે પરવળ ખાધા હતા તેમનું બ્લડ શુગર લેવલ ઓછું જોવા મળ્યું હતું. પરવળ ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને ભૂખ વધે છે.
પરવળમાં એન્ટી અલ્સર તત્વ હોય છે જે પેટના અલ્સરને દૂર કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી પણ કાયમી મુક્તિ મળે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે પરવળનું સેવન કરવું જોઈએ.
પરવળનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે જેના કારણે હાર્ટ પ્રોબ્લેમ થતા નથી. જેના કારણે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે.
કમળાના દર્દી માટે પણ પરવળ લાભકારી છે. તેમાં રહેલા તત્વ કમળા સામે લડવામાં શરીરને મદદ કરે છે. જે લોકોને કોઈપણ પ્રકારનું વ્યસન હોય છે અને તેને છોડવામાં અનેક પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો રહેતી હોય છે. તેઓ જો પરવળ નું સેવન કરે તો આ સમસ્યાઓ દૂર થાય છે.
ચરક સંહિતામાં જણાવાયું છે કે પરવળનો ઉપયોગ આલ્કોહોલના નશાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા ગુણ રક્તને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચાના રોગ દૂર થાય છે કારણ કે તે રક્તને શુદ્ધ કરે છે. જે લોકો સ્થૂળતાથી ગ્રસ્ત છે તેઓ પણ પરવળનું સેવન કરે તો વજન ઘટે છે. આ વાત પણ એક સંશોધનમાં સાબિત થઈ ચુકી છે.