જીવનશૈલીમાં શારીરિક શ્રમનો અભાવ અને છાશવારે ખવાતું બહારનું ભોજન શરીરને અનેક રોગનું ઘર બનાવે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા એવી થઈ જાય છે કે તેમાં દવા લેવી જ પડે છે.
પરંતુ આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જે ડોક્ટર પાસે ગયા વિના તમારા શરીરની અનેક સમસ્યાને કાયમ માટે દુર કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
આ વસ્તુ છે મેથીનું પાણી. મેથીનું પાણી પીવાના જોરદાર ફાયદા થાય છે. તેમાં પણ રોજ સવારે ભૂખ્યા પેટ આ પાણી પી લેવાથી શરીરની ઘણી બીમારીઓ દવા વિના દુર થઈ જાય છે. આ પાણી પીવાથી શરીરને કોઈ આડઅસર પણ થતી નથી.
રોજ મેથીનું પાણી સવારે પીવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ફાયબર મળે છે. સાથે જ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. સવારે મેથીનું પાણી પીવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને જેના કારણે વજન ઘટે છે.
આજના સમયમાં ઝડપથી વધતો રોગ ડાયાબીટીસ છે. આ રોગ ખૂબ જ ગંભીર છે. તેના કારણ વ્યક્તિના જીવન પર સતત જોખમ રહે છે. તેનાથી બચવા માટે મેથીનું પાણી પી શકાય છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. નિયમિત તેનું સેવન કરવાથી ડાયાબીટીસ થવાના જોખમથી પણ બચી શકાય છે.
મેથીનું પાણી પીવાથી તેમાં રહેલા પોષકતત્વો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. તેનું સેવન કરવાથી પેટ સાફ આવે છે. રોજ સવારે મેથીનું પાણી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે હાર્ટ એટેક, હાર્ટ ડીસીઝ, સ્ટ્રોક જેવા જીવલેણ જોખમથી બચી જવાય છે. જો શરીરની કોઈપણ નસોમાં બ્લોકેજ હોય અને તે અંગ સુધી રક્ત પહોંચતું ન હોય તો મેથીનું પાણી પીવું ઉપયોગી સાબિત થાય છે.
જે લોકોને વાતાવરણમાં ફેરફાર થાય કે તુરંત જ શરદી, ઉધરસ અને કફ થવા લાગે છે. તેઓ પણ જો દરરોજ મેથીનું પાણી પીવે તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ રોગ સામે લડવાની શરીરને શક્તિ મળે છે.
સવારે મેથીનું પાણી નિયમિત પીવાથી પેટમાં ગેસ, અપચો, એસિડીટી, કબજિયાત જેવી તકલીફ રહેતી નથી. આ બધા જ લાભ પ્રાપ્ત કરવા માટે રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી પલાળી દેવી. અને સવારે આ મેથી ગળી જવી અને પાણી પી જવું.