રોટલી ની અંદર આ વસ્તુ ઉમેરી દો, ઘરમાં કોઈને નહીં થાય કબજિયાત

 

આધુનિક જીવનશૈલીની અસર લોકો ની ખાણીપીણી પર સૌથી વધુ થઈ છે. લોકોનો આહાર બદલી રહ્યો છે જેના કારણે કબજીયાતની ફરિયાદ પણ સતત વધી રહી છે. કબજિયાતની તકલીફ ઊભી છે જે ઝડપથી મટવાનું નામ નથી લેતી. તેથી શક્ય હોય ત્યાં સુધી કબજિયાત થાય જ નહીં તેવા પ્રયત્ન કરવા.

જ્યારે પેટ બરાબર સાફ આવતું ન હોય અને શરીરમાં પ્રવાહીની ઉણપ હોય ત્યારે કબજિયાત થાય છે. કબજિયાત હોય તો સવારે નિયમિત પેટ સાફ આવતું નથી અને શરીરમાં તાજગી રહેતી નથી.

આ સિવાય પેટમાં દુખાવો પણ રહે છે કારણ કે શરીરમાંથી મળ સંપૂર્ણપણે બહાર આવ્યો નથી હોતો. જો કબજીયાત નો ઉકેલ સમયસર કરવામાં ન આવે તો તે ભયંકર રોગ બની શકે છે. કબજિયાત ઝડપથી થઈ જાય છે પરંતુ મટવામાં વાર લગાડે છે.

તેથી તમે આજે કબજિયાત મટાડવા નો એક જબરદસ્ત ઇલાજ જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરી લેશો તો તમને જ નહીં તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને કબજિયાતની તકલીફ નહીં થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાતથી કાયમી મુક્તિ મેળવવા માટે તમારે લોટમાં એક વસ્તુ ઉમેરી દેવાની છે. જે તમારા શરીરમાંથી કબજીયાત અને ગેસને હંમેશ માટે દૂર કરી દેશે. આ કામ કરવા માટે તમારે ઓટ્સની જરૂર પડશે.

સૌથી પહેલાં અને પીસી લેવા અને પછી તેને લોટમાં મિક્સ કરી દેવું. હવે નિયમિત રીતે આ લોટમાંથી રોટલી બનાવવાનું રાખો. આ રોટલીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે જ આહારમાંથી જંકફૂડ અને ઠંડા પીણા ને દૂર કરો.

ઓટ્સ પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેમાં ઝીંક, મેગ્નેશિયમ, આયરન, વિટામિન બી, ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવું સુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે. અને કબજિયાત તો તુરંત જ મટી જાય છે. ઓટ્સ તમને કોઈપણ જગ્યાએથી સરળતાથી મળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સમય ફાળવી શકતા નથી તો આ ઉપાય જરૂરથી કરી લેવો. તેના માટે તમારે વધારાનો સમય પણ ફાળવવો નહીં પડે અને શરીરની કબજિયાત સહિતની સમસ્યાઓ દૂર થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!